ikhedutportalgujarat pashu vyaj Sahay Yojana : 20 પશુઓની ખરીદી માટે લીધેલ લોન પર 12% વ્યાજ સહાય અનુસૂચિત જનજાતિના પશુપાલકો માટે 1 થી 20 દુધાળા પશુ એકમની સ્થાપનામાં 12% વ્યાજ સહાય યોજના સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના પશુપાલકોને આર્થિક પ્રોત્સાહન અને સહાય પૂરી પાડવા માટે 1 થી 20 દુધાળા પશુ એકમની સ્થાપના માટે વિશેષ યોજના બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ, પશુપાલકોને તેમના ધંધાને વિસ્તૃત કરવા માટે 12% વ્યાજ સહાય આપવામાં આવે છે.
પશુ વ્યાજ સહાય યોજના | પશુ વ્યાજ સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા ખેડુતોને તેમના પશુપાલન માટે આર્થિક સહાય પૂરી પાડવાનો એક પ્રોગ્રામ છે. આ યોજના હેઠળ, પશુ પાલન માટે લેવાયેલા લોન પર વ્યાજમાં રાહત મળે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ પશુપાલનને પ્રોત્સાહન આપવો અને પશુપાલકોને વધુ સશક્ત બનાવવા માટે છે.
pashu vyaj Sahay Yojana પશુ વ્યાજ સહાય યોજના
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં ખેતીની સાથે પશુપાલન આજે ગૌણ વ્યવસાય ની જગ્યાએ મુખ્ય વ્યવસાય બની ગયો છે. આવા સંજોગોમાં નાના ખેડૂતો કે પશુપાલકોને પશુપાલન વ્યવસાય વધારી પોતાની આવકમાં વધારો કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ પશુપાલકોએ પશુ ખરીદી માટે લીધેલ લોન પર 12% સુધીની વ્યાજ સહાય આપવામાં આવે છે.
pashu vyaj Sahay Yojana પશુ વ્યાજ સહાય યોજનાનો લાભ કોણ લઈ શકે છે?
- આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના તમામ પશુપાલકો, ખેત મજુર, નાના સીમાંત ખેડુત, જમીન વિહોણા અને માલધારી, શિક્ષિત બેરોજગાર કે પશુપાલકો લઈ શકે છે.
- આ યોજના માટે અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્યના હોવો જોઈએ.
- પશુપાલકે 1 થી 20 જેટલા દુધાળા પશુઓની ખરીધી માટે રાષ્ટ્રીયકૃત બેંક પાસેથી વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન લોન લીધેલ હોય.
- લાભાર્થી પાસે જમીન, પશુઓ તથા પાણીને સવલત હોવી જોઈએ.
- લાભાર્થી આ યોજનાનો લાભ લેવા માટે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરેલી હોવી જોઈએ.
- આ યોજના હેઠળ મળવાપાત્ર સહાય જે તે લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે.
pashu vyaj Sahay Yojana પશુ વ્યાજ સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય
આ યોજના હેઠળ મળવા પાત્ર લાભો નીચે મુજબ છે.
એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસુચિત જનજાતિના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય
- પશુ એકમની કિંમત અથવા બેંક પશુ ખરીદી કરવા એકમદીઠ કરેલ ધિરાણ બંનેમાથી જે ઓછું હોય તેના ઉપર બેંકે ખરેખર ગણેલ વ્યાજ અથવા વધુમાં વધુ ૧૨% સુધી વ્યાજ સહાય પાંચ વર્ષનાં સમયગાળા સુધી સદર યોજના હેઠળ મળવાપાત્ર થશે.
એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસુચિત જાતિના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય
- પશુ એકમની કિંમત અથવા બેંક પશુ ખરીદી કરવા એકમદીઠ કરેલ ધિરાણ બંનેમાથી જે ઓછું હોય તેના ઉપર બેંકે ખરેખર ગણેલ વ્યાજ અથવા વધુમાં વધુ ૧૨% સુધી વ્યાજ સહાય પાંચ વર્ષનાં સમયગાળા સુધી સદર યોજના હેઠળ મળવાપાત્ર થશે.
એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે રાજ્યના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય
- પશુ એકમની કિંમત અથવા બેંક પશુ ખરીદી કરવા એકમદીઠ કરેલ ધિરાણ બંનેમાથી જે ઓછું હોય તેના ઉપર બેંકે ખરેખર ગણેલ વ્યાજ અથવા વધુમાં વધુ ૧૨% સુધી વ્યાજ સહાય પાંચ વર્ષનાં સમયગાળા સુધી સદર યોજના હેઠળ મળવાપાત્ર થશે.
pashu vyaj Sahay Yojana પશુ વ્યાજ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
- જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા) (ફક્ત અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ માટે) (લાગુ પડતું હોય તો)
- સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગો માટે) (લાગુ પડતું હોય તો)
- બારકોડેડ રેશનકાર્ડ (લાગુ પડતું હોય તો)
- જમીન માટેનો આધાર (પુરાવો) (લાગુ પડતું હોય તો)
- લાભાર્થીનું બાંહેધરી/સંમતિ પત્રક (લાગુ પડતું હોય તો)
- લોન એકાઉન્ટ પાસબુક અથવા બેન્ક દ્વારા લોનની રકમ ચુકવ્યા અંગેનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
- સરકાર માન્ય ફોટાવાળુ ઓળખપત્ર (લાગુ પડતું હોય તો)
pashu vyaj Sahay Yojana પશુ વ્યાજ સહાય યોજના માટે કઈ રીતે અરજી કરવી?
pashu vyaj Sahay Yojana માટેનું ઓનલાઇન ફોર્મ i-khedut પોર્ટલ પર ઓનલાઈન ભરાય છે. નીચેના સ્ટેપ અનુસરી પશુ વ્યાજ સહાય યોજના માટે અરજી કરી શકો છો.
- સૌથી પહેલાં ikhedut નાં પોર્ટલ પર જાઓ.
- તમારી સામે હોમ પેજ ખુલશે જેમાં મેનું માંથી યોજનાઓ ઓપ્શન પર ક્લિક કરો.
- તમારી સામે નવું પેજ ખુલશે જેમાં પશુપાલન ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો લખેલું હશે તેના પર ક્લિક કરો.
- હવે ખેતીવાડીની યોજનાઓ માં ક્રમ નં 1,2 અને 3 પર પશુ વ્યાજ સહાય યોજના લખેલું છે જેના પર ક્લિક કરો.
- નવા પેજમાં આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મળશે, જેમાં અરજી કરો લખેલું છે તેના પર ક્લિક કરો.
- હવે તમને તમે રજિસ્ટર્ડ અરજદાર છો? એવું પૂછવામાં આવશે તેમાં હા કે ના પસંદ કરી, આગળ વધવા ક્લિક કરો બટન પર ક્લિક કરો.
- નવા ખુલેલા પેજ પર નવી અરજી કરવા અહીં ક્લિક કરો બટન પર ક્લિક કરો.
- હવે તમારી સામે અરજી કરવા માટેનું ફોર્મ ખુલી જશે જેમાં અરજદાર, બેંક, પશુઓની ખરીદીની વિગત અને રેશનકાર્ડની વિગતો કાળજીપૂર્વક ભરો.
- છેલ્લે કોડ નાખી અરજી સેવ કરો પર ક્લિક કરો. ત્યારબાદ અરજી એકવાર જોઈ લો અને બધી જ વિગતો સાચી હોય તો અરજી કન્ફર્મ કરો.
- તે પેજ પર અરજી કન્ફર્મ કરવા અહી ક્લિક કરો બટન પર ક્લિક કરો અને તમારો અરજી નંબર અને જમીનનો ખાતા નંબર કે રેશન કાર્ડ નંબર તથા ફોટોમાં આપેલ કોડ નાખી તમારી અરજી કન્ફર્મ કરી લો. (ખાસ નોંધ : અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે.)
- છેલ્લે તમારી અરજીની પ્રિન્ટ કરી દો અને અરજીમાં લખેલ ડોક્યુમેન્ટ સાથે અરજીને જે તે કચેરીમાં નિયત સમયમાં પહોચાડી દો.
ખાસ નોંધ : પશુ વ્યાજ સહાય યોજના 2024 માટેની ઓનલાઈન અરજીની મુદત 15/06/2024 થી 31/10/2024 સુધી છે.
pashu vyaj Sahay Yojana યોજનાના મુખ્ય લાભો
- આર્થિક સહાય: પશુપાલકોને તેમના નવા દુધાળા પશુઓ માટે લોન પર 12% વ્યાજ સહાય મળી શકે છે.
- ઉદ્યોગને પ્રોત્સાહન: આ યોજનાનો હેતુ પશુપાલન ક્ષેત્રમાં વધારો કરીને શ્રમશક્તિને મજબૂત બનાવવો છે.
- સરળ પ્રક્રિયા: આ યોજનાનો લાભ મેળવવા માટે સરળ એપ્લિકેશન પ્રક્રિયા અને સરકાર દ્વારા મદદ મળી રહે છે.
- આવકમાં વધારો: પશુપાલકો તેમના દુધ ઉત્પાદનમાં વધારો કરી વધુ મફત આવક મેળવી શકે છે.
Important Link
ઓફિસિયલ વેબસાઈટ : અહિ ક્લિક કરો
હોમ પેજ : અહિ ક્લિક કરો