Kisan Kalpavruksha Yojana ગુજરાત સરકારની કિસાન કલ્પવૃક્ષ યોજના 2024 ખેડૂતો અને પશુપાલકો માટે મળતી સહાય અંગે વિગતવાર માહિતી “કિસાન કલ્પવૃક્ષ યોજના” થકી વિવિધ બજાર સમિતિઓમાં ઓક્શન શેડ, વે-બ્રિજ, ખેડૂત પ્રદર્શન કેન્દ્ર, સી.સી. રોડ, કમ્પાઉન્ડ વોલ, શોપ કમ ગોડાઉન વગેરે માટે સહાય અપાય છે. ગુજરાત સરકાર સતત ખેડૂતો અને પશુપાલકોના વિકાસ માટે નવી નવી યોજનાઓ અમલમાં મૂકે છે. એજ દિશામાં, કિસાન કલ્પવૃક્ષ યોજના ખેડૂતો અને પશુપાલકો માટે મહત્વપૂર્ણ સહાય પ્રદાન કરે છે. આ યોજના કઈ રીતે કાર્યરત છે, કોને લાભ મળે છે, અને સહાય મેળવવા માટેની પદ્ધતિ શું છે તે વિશે અહીં માહિતી આપવામાં આવી છે.
Kisan Kalpavruksha Yojana
દેશભરમાં તા. 14 થી 20 નવેમ્બર દરમિયાન ‘રાષ્ટ્રીય સહકાર સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. સહકારી પ્રવૃત્તિઓએ દેશ અને રાજ્યના વિકાસમાં અગ્રણી ભૂમિકા ભજવી છે. ખાસ કરીને ગુજરાતનું સહકાર મોડલ સમગ્ર દેશમાં પોતાનું અનોખું સ્થાન ધરાવે છે.
ગુજરાતની સહકારી સંસ્થા “અમૂલ” એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં સહકારી ક્ષેત્રનું શ્રેષ્ઠ ઉદાહરણ બની છે. સહકારના આ દિશામાં પહેલી પહેલ વર્ષ 1889માં વડોદરામાં “અન્યોન્ય સહાયક સહકારી મંડળી”ની સ્થાપનાથી થઈ હતી.
ગુજરાતમાં 1904ના સહકારી કાયદાના અમલ પછી અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાની વિસલપુર સહકારી મંડળી હતી, જે રાજ્યમાં નોંધાયેલી પ્રથમ સહકારી મંડળી તરીકે ઓળખાય છે.
Kisan Kalpavruksha Yojana ગુજરાતની સ્થાપના સમયે રાજ્યમાં કુલ 13,959 સહકારી મંડળીઓ હતી, જે આજે વધીને 89,221 સુધી પહોંચી છે. આ મંડળીઓ સાથે આશરે 1.71 કરોડ સભાસદો જોડાયેલા છે, જે ગુજરાતની 6 કરોડથી વધુ વસ્તી ધરાવતી જનસંખ્યામાંથી દર ચોથા ગુજરાતી માટે સહકારી મંડળીઓનો સાથ દર્શાવે છે. રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીની કચેરી કાર્યરત છે, જે સહકારના સંચાલનમાં મહત્વનું યોગદાન આપે છે.
વર્ષ 2021માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશમાં પ્રથમવાર અલગ સહકાર મંત્રાલયની સ્થાપના કરવામાં આવી. ગુજરાતના પનોતા પુત્ર અને દેશના ગૃહમંત્રી અમિત શાહ સહકાર મંત્રાલયના પ્રથમ મંત્રી બન્યા બાદ દેશના સહકારી ક્ષેત્રે આમૂલ પરિવર્તનના સાન્નિધ્ય સાથે હિતલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા છે, જે આ ક્ષેત્રના વિકાસ માટે સ્ફૂર્તિરૂપ સાબિત થઈ રહ્યા છે.
Kisan Kalpavruksha Yojana મુખ્ય હેતુઓ
- સતત ખેતીને પ્રોત્સાહન: ખેડૂતોને ખેતી માટે ઉપયોગી સાધનો અને સહાય પૂરી પાડવી.
- પશુપાલન વિકાસ: પશુઓના પોષણ અને સંભાળ માટે જરૂરી સહાય પ્રદાન કરવી.
- આર્થિક સશક્તિકરણ: ખેડૂતોને ખર્ચ ઘટાડવામાં મદદ કરી તેમની આર્થિક સ્થિતિ મજબૂત કરવી.
Kisan Kalpavruksha Yojana લાભો
- ખેડૂતને ખેતી માટે જરૂરી સાધનો પર સબસિડી.
- પશુપાલકોને પશુઓ માટે પોષણ સંકુલ ઉપલબ્ધ કરાવવું.
- વિમો યોજના અને ઋણની ઉપલબ્ધતા.
- નિમ્ન વાર્ષિક આવક ધરાવતા ખેડૂતોને વિશેષ પ્રોત્સાહન.
લાયકાત કોણ માટે છે?
- ખેડૂત અથવા પશુપાલક હોવું જરૂરી.
- જમીન અથવા પશુપાલન કેન્દ્રનો દાખલો જરૂરી.
- આધાર કાર્ડ અને બેંક ખાતું હોવું ફરજિયાત.
અરજી કરવાની પદ્ધતિ
- Ikhedut પોર્ટલ પર ઓનલાઈન નોંધણી:
- Ikhedut પોર્ટલ પર જઈ યોજના પસંદ કરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરી ફોર્મ ભરવું.
- મહત્વપૂર્ણ દસ્તાવેજો:
- આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજો, બેંક પાસબુકની નકલ.
- અરજીપત્રની સ્થિતિની ચકાસણી:
- ઓનલાઇન અથવા જિલ્લા ખેતી અધિકારી દ્વારા માહિતી મેળવો.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ રાજ્યની સહકારી મંડળીઓ દ્વારા છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ (2021-22 થી 2023-24) દરમિયાન સભાસદોને વિવિધ લાભો પુરૂ પાડવામાં આવ્યા છે. ખેતી ઉત્પાદન વધારવા અને ખેડૂતોની જરૂરિયાતો સંતોષવા, વિવિધ સહકારી બેંકો દ્વારા પાક ધિરાણ પ્રદાન કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત, ખેડૂતોને 0% વ્યાજ દરે ધિરાણ ઉપલબ્ધ થાય છે, જેમાં ભારત સરકાર દ્વારા 3% અને ગુજરાત સરકાર દ્વારા 4% ફાળો આપવામાં આવે છે. કુલ મળીને, કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા 48 લાખથી વધુ ખેડૂતોને રૂ. 3,056.48 કરોડની વ્યાજ સહાય આપવામાં આવી છે.
આ ઉપરાંત સ્કિલ ડેવલપમેન્ટ અંતર્ગત રાજ્યની સહકારી મંડળીઓની વ્યવસ્થાપક સમિતિના સભ્યો અને સભાસદોને સહકારી કાયદો, નિયમો અને વિવિધ કામગીરીની માહિતી મળી રહે અને સહકારી મંડળીઓનો વહીવટ સુવ્યવસ્થિત થાય તે માટે સરકાર દ્વારા રાજ્ય સહકારી સંઘને દર વર્ષે રૂ.૨.૫ કરોડની ગ્રાન્ટ આપવામાં આવે છે, જેના થકી છેલ્લા ત્રણ વર્ષમાં ૩.૫૭ લાખથી વધુ તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી છે. એગ્રીકલ્ચર માર્કેટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે રાજ્યમાં ખેડૂતોના પાકને યોગ્ય ભાવ મળી રહે તે માટે ૨૨૪ બજાર સમિતિઓ કાર્યરત છે. “કિસાન કલ્પવૃક્ષ યોજના” અંતર્ગત આ બજાર સમિતિઓમાં વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જેવા કે ઓક્શન શેડ, વે-બ્રિજ, ખેડૂત પ્રદર્શન કેન્દ્ર, સી.સી. રોડ, કમ્પાઉન્ડ વોલ, શોપ કમ ગોડાઉન વગેરે માટે સહાય આપવામાં આવે છે. આ યોજનામાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ૭૨ બજાર સમિતિઓને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે રૂ. ૫૪.૫૫ કરોડની સહાય આપવામાં આવી છે.
Kisan Kalpavruksha Yojana ડિજિટાઇઝેશન અને ડેટા મેનેજમેન્ટ અંતર્ગત રાજ્યમાં નાણા ધિરધાર કરનારાઓની સુવ્યવસ્થિત માહિતી મળી રહે તથા તેઓ જરૂરી રજિસ્ટ્રેશન કરાવી કામગીરી કરે તે માટે ઈ-કોઓપરેટીવ પોર્ટલ પર રજિસ્ટ્રેશનની શરૂઆત વર્ષ ૨૦૨૨માં કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત ઓનલાઈન રજિસ્ટ્રેશન સર્ટિફીકેટ આપવામાં આવી રહ્યા છે. જેમાં છેલ્લા ત્રણ વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૪માં ૨,૧૩૮ નવા ઓનલાઈન રજિસ્ટ્રેશન તથા ૬૮૨ જેટલા ઓનલાઈન રજિસ્ટ્રેશન રિન્યૂ કરવામાં આવ્યા છે.
Kisan Kalpavruksha Yojana સંપર્ક માહિતી
જિલ્લા કૃષિ અધિકારીનો સંપર્ક:
કોઈ પણ શંકા અથવા સમસ્યાના નિરાકરણ માટે નજીકના કૃષિ કાર્યાલયમાં સંપર્ક કરો.