khet talavadi sahay 2025: ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરવા માટે સરકારની સહાય યોજના 2025

khet talavadi sahay 2025: ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરવા માટે સરકારની સહાય યોજના 2025 ગુજરાત રાજ્યના પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરવાની સહાય યોજના સરકારે શરૂ કરી છે. આ યોજના હેઠળ બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, નર્મદા અને ડાંગ જિલ્લામાં આવેલા ખેડૂતોને લાભ આપવામાં આવશે.

khet talavadi sahay 2025 યોજનાનો હેતુ

આ યોજના દ્વારા ખેડૂતો ચોમાસામાં વરસાદી પાણીનું સંચય કરી શકે અને રવિ સિંચાઈ માટે તેનો ઉપયોગ કરી શકે. જીઓમેમ્બ્રેન ફીટ કરવાથી પાણીનું વપરાશ વધુ અસરકારક બની શકે છે અને ખેતી માટે પૂરતું પાણી ઉપલબ્ધ રહે.

khet talavadi sahay 2025 યોજનાની મુખ્ય વિગતો

  • ખેડૂતોએ સ્વખર્ચે ખોદાણ કરીને ખેત તલાવડી તૈયાર કરવી પડશે.
  • સરકાર દ્વારા જીઓમેમ્બ્રેન ફીટ કરવાનું તમામ ખર્ચ સહાય રૂપે આપવામાં આવશે.
  • મહત્તમ 40 મીટર x 40 મીટર ના કદ અને 6 મીટર ઉંડાઈ માટે જ યોજના લાગુ પડશે.
  • જો ખેડૂત વધુ મટિરિયલ વાપરશે તો આ વધુ ખર્ચ ખેડૂતે જાતે કરવો પડશે.

khet talavadi sahay 2025 અરજી પ્રક્રિયા

  • સત્તાવાર વેબસાઈટ g-talavadi.gujarat.gov.in પર જઈ અરજી કરો.
  • તમામ જરૂરી વિગતો દાખલ કરો અને નોંધણી પૂર્ણ કરો.
  • સરકાર દ્વારા ઓનલાઈન ડ્રો દ્વારા અરજદારો પસંદ કરાશે.
  • પસંદ થયેલા અરજદારોનું ફીલ્ડ વેરિફિકેશન કરાશે.
  • યોગ્ય અરજદારો માટે સરકારી ખર્ચે જીઓમેમ્બ્રેન ફીટ કરાશે.

khet talavadi sahay 2025 મહત્વપૂર્ણ તારીખો

  • અરજી શરૂ થવાની તારીખ: 01/04/2025
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 20/04/2025

khet talavadi sahay 2025 મહત્વપૂર્ણ સૂચનાઓ

  • જે ખેડૂતોએ અગાઉ આ યોજના હેઠળ લાભ લીધો છે, તેઓ તે જ જમીન માટે ફરીથી અરજી કરી શકશે નહીં.
  • જો અન્ય સર્વે નંબર માટે અરજી કરવી હોય, તો તે શક્ય રહેશે.
  • જીઓમેમ્બ્રેનને નુકસાન ન થાય તે માટે યોગ્ય સંભાળ રાખવાની જવાબદારી ખેડૂતની રહેશે.

આ યોજના ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે. યોગ્ય સમયમર્યાદામાં અરજી કરીને સરકારની સહાયનો લાભ લેવા માટે સત્તાવાર વેબસાઈટ પર માહિતી મેળવી અરજી કરવી.

9 thoughts on “khet talavadi sahay 2025: ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરવા માટે સરકારની સહાય યોજના 2025”

  1. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જીઓમેમ્બ્રેન ફીટ કરવાથી પાણીનું સંચય અને વપરાશ વધુ અસરકારક બને છે. આથી ખેતીના કામમાં પાણીની અછતની સમસ્યાનું નિરાકરણ થઈ શકે. ખેડૂતોએ સમયસર અરજી કરીને આ યોજનાનો લાભ લેવો જોઈએ. અરજી કરવા માટે જરૂરી માહિતી કઈ રીતે મેળવી શકાય?

    Reply
  2. ગુજરાત સરકારની આ યોજના ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે. જીઓમેમ્બ્રેન ફીટ કરવાથી પાણીનું સંચય વધુ અસરકારક બનશે. આ યોજના દ્વારા ખેડૂતોને વરસાદી પાણીનો ઉપયોગ સરળતાથી કરવાની સગવડ મળશે. આશા છે કે આ યોજના દ્વારા પાણીની અછતની સમસ્યા મટશે. અરજી કરવાની પ્રક્રિયા કેટલી સરળ છે?

    Reply

Leave a Comment